અનોખું પુસ્તક

  • 3.5k
  • 3
  • 951

આકાશમાં અંધકારની ચાદર ઓટવાઈ રહી હતી. પક્ષીઓ પોતાના માળે જઇ રહ્યા હતા. સાંજનો સમય સુમન પોતાની બાલ્કનીમાં બેઠી આ બધુ નિહાળી રહી હતી. કોણ જાણે ક્યાં વિચારમાં ખોવાયેલી અને અંધકારમાં ઓટવાઇ હતી. મધદરિયે કિનારો ક્યારે મળે એ શોધી રહી હતી.કોઈ વ્યક્તિ દુ:ખી થવા માંગતુ ના હોય પણ સમય અને સંજોગ વ્યક્તિને આપો-આપ દુ:ખી કરી દેતા હોય છે. સુમન પણ સમય અને સંજોગો સામે દુ:ખી અને નિશ્હાયા હતી. નાનપણથી જ સુમન દુ:ખના ભવરમાં ઓટવાઈ હતી. 13વર્ષની ઉંમરે તેના મમ્મી અને પપ્પા એક એક્શિડન્ટમાં મૃત્યુ પામ્યા. ત્યાર બાદ તેના મામા તેને પોતાના ઘરે લઈ ગયા. મામાતો સારા પણ મામીનો ચિડિયો સ્વભાવને કારણે