ભેદ - - 7

(271)
  • 7.5k
  • 25
  • 4.8k

ફરવા જવાનો પ્રોગ્રામ મીનાક્ષીએ જ બનાવ્યો. બળવંત તો કેમેય કરીને તૈયાર જ નહોતો થતો. પરંતુ છેવટે તેને કિશોર તથા આનંદના અનહદ આગ્રહ સામે નમતું જોખવું પડ્યું હતું. એ લોકો નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભગવતી અને રજની આવી પહોંચ્યા. કિશોર તથા આનંદ પર થયેલા હુમલાના સમાચાર બળવંતે ફોન કરીને રજનીને આપી દીધા હતા. એ બંનેનો સત્કાર કરવાને બદલે તેઓને જોતાં જ મીનાક્ષી તેમના પર વિફરી પડી.