બાંસુરી ઉવાચ - ભાગ - 1

(20)
  • 3.3k
  • 3
  • 1.2k

વાંસળી વદે છે: ભેદાઈને પણ રેલાવું વાંસળી નાં નસીબ એકલાં નું કામ નથી, એની સહનશક્તિ ની શરુઆત પર અનેં એની શરણાગતિ નાં અંત પર માધવની કૃપાનું પૂર્ણવિરામ છે, બની શકાય તો વાંસળી બનો, કોઈ નાં સૂર બનો, કોઈ નાં પ્રિય આપોઆપ બની જવાશે, અને છતાં સ્નેહ બની ખુદ ગોવિંદ પણ વરસી નેં તરસાવશે, જીવનભર મહેંકાવશે. વાંસળી ની જેમ ખુશી થી ભેદાવાય, છતાં પણ સૌમ્ય સૂરે રેલાવાય, આવું કોઈની પ્રીતમાં અનાયાસે જ થઈ જાય, માધવનાં અધરે ત્યારે જ શોભાવાય, માધવનાં આલિંગને ત્યારે જ આરોપાય, માધવની સંવેદના એ ત્યારે જ સમર્પિત થવાય, માધવનાં અહેસાસે ત્યારે જ આપણો આવિર્ભાવ થાય, માધવનાં હૈયે આપણું