રહસ્યના આટાપાટા - ભાગ 8

(126)
  • 4.9k
  • 2
  • 3k

અતિશય અશક્ત અને દૂબળા પડી ગયેલા લેનીયનને જોઈ એવું લાગતું હતું કે યમરાજ હમણાં તેના પ્રાણ હરી લેશે. મહેમાન તરીકે આવેલા અટરસનને તે કહેવા લાગ્યો, “મને ઝાટકો લાગ્યો છે. મેં એક એવી વસ્તુ જોઈ છે જેણે મને બીમાર કરી દીધો છે. મને લાગે છે કે હવે હું થોડા જ અઠવાડિયાનો મહેમાન છું અને ફરી ક્યારેય સાજો નહીં થાઉં. પણ, મને તેનો અફસોસ નથી. મારું આખું જીવન સુખ ચેનમાં વીત્યું છે અને મેં જિંદગીની દરેક પળને મન ભરીને માણી છે.” “એવું ના બોલ યાર, તું ફરી સાજો થઈ જઈશ. તને ખબર છે, જેકિલ પણ અત્યારે બીમાર છે ?”