સત્ય અસત્ય - પ્રકરણ - 29

(1.1k)
  • 47.4k
  • 90
  • 34.3k

લાંબુ વિચારતા એને સમજાયું કે એમને જોડનારી એક જ કડી હતી, પ્રિયંકા કારણકે બંને પ્રિયંકાને ખૂબ પ્રેમ કરતા હતા અને જ્યારે પ્રિયંકાની ખુદની જિંદગી આટલી કપરી મુશ્કેલીમાં મુકાય ત્યારે સત્યજીત સાથે વાત કરવાથી કદાચ તેનું મન હળવું થઇ શકે એમ એને લાગ્યું. આદિત્યને લાગ્યું કે પોતાના દુઃખની પીડા એક જ વ્યક્તિ સમજી શકશે અને કદાચ એ સત્યજીત જ હોઈ શકે. આદિત્યે ફોન લગાવ્યો અને સારી એવી રીંગ વાગ્યા પછી સત્યજીતે કોલ રીસીવ કર્યો અને કહ્યું, બોલ પ્રિયંકા. આદિત્યે કહ્યું કે એ બોલે છે નહીં કે પ્રિયંકા. સત્યજીત થોડો ઝંખવાઈ ગયો, એણે આદિત્ય ક્યારે આવ્યો એમ પૂછ્યું. આદિત્યે સત્યજીતને કહ્યું કે એણે તેને મળવું છે અને બને તો હમણાં જ. સત્યજીતને ચિંતા થઇ એટલે એણે પૂછ્યું...