ભારતના ગણિત જગતનો ધ્રુવ તારક - શ્રીનિવાસ રામાનુજન

(18)
  • 10.4k
  • 4
  • 2k

ભારતના ગણિત જગતનો ધ્રુવ તારક શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાનતમ રત્નોની વાત નીકળે એટલે મારા મનમાં તો પૂર્ણ આંતરિક પરાવર્તનથી ઝળહળતાં એ એકમાત્ર સિતારાનું ચિત્ર ખડું થઈ જાય છે. આમેય ગણિતનાં એ મહાનતમ રત્ન સિવાય બીજા ભારતીય રત્નોનો મને પરિચય પણ કયાં છે જ! મેં તો અલૌકિક બુધ્ધિમત્તા ધરાવતા એ એકમાત્ર દુર્લભ હીરા સાથે કામ કર્યું છે. મારા જીવનમાં એ પાંચ વર્ષ કેટલાં અમૂલ્ય હતાં એ શબ્દોમાં વર્ણવવું અશકય છે. એ પાંચ વર્ષમાં મેં ગણિતનાં એવાં એવાં સંશોધનોનાં પ્રત્યક્ષ દર્શન કર્યા જે એક સામાન્ય માણસની નાનીશી ખોપરીમાં ઉદ્ભવવા અને સમાવવા મુશકેલ હતાં, પરંતુ એ કયાં સામાન્ય હતો? એ તો મહામેઘાવી