સત્ય અસત્ય - પ્રકરણ - 21

(1.1k)
  • 50.1k
  • 50
  • 35.4k

અમોલાની ગેરહાજરી વિશે કઈ પણ પૂછવાને બદલે એણે આ પરીસ્થિતિથી રાહત અનુભવવા માંડી હતી. સોનાલીબહેન એમના ઘરમાં પડી રહેલી તિરાડ જોઈ શકતા હતા, પરંતુ કશું જ કરી શકે તેમ નહોતાં. એ ક્યારેક સત્યજીતને સમજાવવાનો પ્રયાસ કરતાં. તો એ એકપણ શબ્દ બોલ્યા વિના એ સોનાલીબહેનની સામે જે દ્રષ્ટિએ જોઈ રહેતો એ આંખોમાં રહેલી પીડા અને પ્રશ્નોને સહી શકવા સોનાલીબહેન માટે અસંભવ હતા. એ ક્યારેક અમોલા સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તો અમોલા એમનું અપમાન કરીને એમને ચૂપ કરી દેતી. એના વધતા પેટ સાથે ઘરમાં એનું ગેરવર્તન પણ ધીમે ધીમે વધી રહ્યું હતું. ક્યારેક અમોલા આખી રાત ઘરે પાછી ન આવતી. ડરી ગયેલા સોનાલીબહેન ચારે તરફ ફોન કરે ત્યારે ખબર પડતી કે...