ગીતામંથન - 11

  • 3.4k
  • 2
  • 1.1k

ધાર્મિક ગ્રંથોનું મનન કરનારા બે પ્રકારના હોય છે : એક, જેના મનનો કુદરતી અભિલાશ એવો બનેલો છે કે, હું શી રીતે વધારે શુદ્ધ વૃત્તિનો, વધારે ભલો, વધારે પ્રેમાળ, પરોપકારશીલ, પોતાનાં દુ:ખોને ન ગણકારનારો અને સત્યનિશ્ઠ થાઉં. અને આમ પ્રયત્ન કરતાં કરતાં હું ઈશ્વરને ઓળખી તેનામાં લીન થાઉં. આ પ્રકારનું બળ મેળવવા એ ઈશ્વરનું શરણ લે છે, એની ભક્તિ ને ઉપાસના કરે છે, તથા એ માટે વ્રત-તપ-ઉપવાસ, ઇંદ્રિયનિગ્રહ-મનોજય, પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત વગેરે આચરતો રહે છે. પોતાની આવી અભિલાશાને પોશણ ને પ્રેરણા મળે, અને આજુબાજુનાં વાતાવરણ ને પરિસ્થિતિને લીધે લાલચોમાં લપટાઈ ન જવાય, તે માટે એ સત્પુરુશો અને સદ્ગ્રંથોનો સમાગમ શોધતો રહે છે.