ગીતામંથન - 8

  • 3.4k
  • 1.3k

અર્જુનના પ્રશ્નોનો અંત આવ્યો નહોતો. હજુ એના મનની ગડીઓ બરાબર બેઠી નહોતી. આથી તેણે પ્રશ્ન પૂછયો : “કોઈ માણસ દૈવી પ્રકૃતિનો છે કે આસુરી પ્રકૃતિનો, તે કેમ ઓળખાય? મારા પોતાના હૃદયને હું તપાસું છું, તો પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ અને નિશ્ઠાનાં મારામાં લક્ષણો નથી જોતો. માન, મોહ, આસક્તિ, સુખદુ:ખમાં વિશમતા, અધ્યાત્મજ્ઞાન સિવાયની બીજી ઘણીયે ઐહિક વિદ્યાઓમાં રસ — એ બધું મારામાં સારી પેઠે ભરેલું છે એમ હું જોઉં છું. એટલે હું આસુરી પ્રકૃતિનો મનુષ્ય છું કે દૈવી પ્રકૃતિનો તે, તથા દૈવી અને આસુરી પ્રકૃતિનાં લક્ષણો મને વિસ્તારપૂર્વક કહો.”