ગીતામંથન - 6

  • 2.8k
  • 1k

સર્વ સંકલ્પના સંન્યાસનો અને સર્વત્ર સમબુદ્ધિનો યોગ — આ બધું અર્જુને ધ્યાનપૂર્વક સાંભળ્યું. પણ જેમ જેમ તે પર વિચાર કરતો ગયો, તેમ તેમ એને સિદ્ધ કરવાની શક્યતા વિશે એ સંશયિત થતો ગયો. તેને એમ લાગ્યું કે જો આ જ માર્ગે સરવે લોકોને જવું આવશ્યક હોય, તો સામાન્ય બુદ્ધિ અને શક્તિનાં હજારો સ્ત્રીપુરુશોએ પોતાના શ્રેયની આશા છોડી દેવી જોઈએ.