ગીતામંથન - 5

  • 3.2k
  • 1k

યાદવચંદ્રે કહેલો આત્મજ્ઞાનનો મહિમા અર્જુને ઉત્સાહપૂર્વક સાંભળ્યો. પણ વળી પાછો એ મૂંઝવણમાં પડી ગયો અને બોલ્યો : “વહાલા માધવ, તમે હમણાં કહ્યું કે આત્મજ્ઞાનથી પર કાંઈ નથી. માટે મારે એ જ પ્રાપ્ત કરવું જોઈએ. આ ઉપરથી જણાય છે કે સાંસારિક કર્મોની પ્રવૃત્તિના કરતાં, સંન્યાસ લઈ આત્મજ્ઞાનની સાધનામાં જીવન ગાળવું એ જ શ્રેયનો માર્ગ છે. તો પછી પુનહ્ કર્મયોગનું આચરણ કરવાનું તમે શી રીતે કહો છો, તે હું સમજી શકતો નથી. એક વાક્યમાં તમે સંન્યાસને અનુકૂળ વિચારો દર્શાવો છો, અને પછી બીજા જ વાક્યમાં કર્મયોગનો ઉપદેશ આપો છો! તો, લાંબી ચર્ચા જવા દઈ મને એક નિશ્ચિત વાક્યમાં જ કહી નાખોને કે સંન્યાસ વધારે સારો કે કર્મયોગ?”