ગીતામંથન - 2

(18)
  • 3.2k
  • 1.7k

અર્જુનની આવી દીન દશા જોઈ અને એના શબ્દો સાંભળી શ્રીકૃષ્ણ સડક જ થઈ ગયા. એ બોલ્યા : “વાહ રે ભાઈ, તું તો ઠીક ધર્મનો વિચાર કરતાં શીખ્યો છે! આર્યાેને ન છાજનારી અને કીર્તિનો નાશ કરનારી આવી કાયરતા તારામાં ક્યાંથી આવી? જો તારા જેવો પુરુશ મરણને જોઈ આભો બની જાય, તો હવે ક્ષાત્રવૃત્તિ આર્યાવર્તમાં ટકવાની નથી એમ જ કહેવું જોઈએ. ચાલ, હવે ડાહ્યો થઈને કામે લાગી જા અને આવી દુર્બળતાનો ત્યાગ કર.”