સમાજમાં જ આપણી આસપાસ રહેતા લોકો ક્યારેક ઈશ્વર ધ્વારા એવા અન્યાય નો ભોગ બને છે કે ,એમને " બસ આજ આપની નિયતિ છે" સમજીને સ્વીકારીને ચાલ્યા કરવું પડે છે.પણ એવા અન્યાય છતાં પણ કોઈક એવું આવી મળે કે તે સામી વ્યક્તિમા છુપાયેલી વિશેષ પ્રતિભાને ઓળખીને એનો સદુપયોગ કરે ત્યારે એક નવો જ રાહ મળે છે .આપણી સ્મૃતિમાં પણ આવા જ કોઈક વાસ્તવિક વર્તાબીજ રોપાઈને કાળક્રમે ભૂલાઈ પણ જતા હોય છે અને સમય આવ્યે તે આમ આખી વાર્તાના રૂપે અવતરતા હોય છે,એવું જ કૈંક આ વાર્તાની નાયિકા અને નાયક નાં પાત્ર નું છે