પૃથિવીવલ્લભ - 31

(67)
  • 8.3k
  • 9
  • 2.4k

૩૧. લક્ષ્મીદેવીએ તૈલંગણ કેમ છોડ્યું અકલંકચિરતના ગર્વિષ્ઠ સ્વભાવને કારી ઘા લાગ્યો. હાર ખાધાથી તે અત્યારે નિરાધાર થઈ ગયો હતો. એના હૃદયમાં હળાહળ ઝેર વ્યાપ્યું. એટલામાં તેણે ઠોકર ખાધી. અને પડતાં ભાંગેલી વલવારનું એક અડધિયું હાથ લાગ્યું. તે લઈ આગળ ચાલ્યો. બે ડગલાં આગળ ચાલતાં એણે ફરી ઠોકર ખાધી અને બેભાન વિલાસના શરીર પર પડ્યો.