પ્રભાસ પાટણની એ સવાર રોજ જેવી જ હતી, છતાં કંઈક એવું હતું જે પંડિત રત્નેશ્વરના હૃદયને કોરી ખાતું હતું. સૂર્યદેવ હજુ ક્ષિતિજ પર દેખાયા નહોતા, આકાશમાં કેસરી અને લાલ રંગના લિસોટા પડ્યા હતા. અરબી સમુદ્રની લહેરો સોમનાથ મહાદેવના મંદિરના પાયા સાથે અથડાઈને એક ગંભીર અવાજ કરી રહી હતી. પંડિત રત્નેશ્વર, જેઓ છેલ્લા ચાર દાયકાથી મહાદેવની સેવા કરી રહ્યા હતા, આજે બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા સમુદ્ર કિનારે ગયા ત્યારે તેમનો જમણો પગ અચાનક થંભી ગયો.

1

પૂજારી - ભાગ 1

પૂજારીભાગ - ૧: અમંગળની પૂર્વસંધ્યાલેખિકાMansi Desai Desai MansiShastri​પ્રભાસ પાટણની એ સવાર રોજ જેવી જ હતી, છતાં કંઈક એવું હતું પંડિત રત્નેશ્વરના હૃદયને કોરી ખાતું હતું. સૂર્યદેવ હજુ ક્ષિતિજ પર દેખાયા નહોતા, આકાશમાં કેસરી અને લાલ રંગના લિસોટા પડ્યા હતા. અરબી સમુદ્રની લહેરો સોમનાથ મહાદેવના મંદિરના પાયા સાથે અથડાઈને એક ગંભીર અવાજ કરી રહી હતી. પંડિત રત્નેશ્વર, જેઓ છેલ્લા ચાર દાયકાથી મહાદેવની સેવા કરી રહ્યા હતા, આજે બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા સમુદ્ર કિનારે ગયા ત્યારે તેમનો જમણો પગ અચાનક થંભી ગયો.​રેતીમાં પડેલા પગલાંઓ પર જ્યારે દરિયાનું પાણી ફરી વળતું, ત્યારે રત્નેશ્વરને એ પાણીમાં લોહીની લાલાશ દેખાતી હતી. તેમણે પોતાની આંખો ...વધુ વાંચો

2

પૂજારી - ભાગ 2

પૂજારીભાગ - ૨: રક્તપાત અને કાળરાત્રિલેખિકાMansi DesaiDesai MansiShastri​મધરાતનો એ ભેંકાર સન્નાટો હવે હજારો ઘોડાઓના પ્રચંડ દાબડા નીચે કચડાઈ રહ્યો પંડિત રત્નેશ્વર પોતાની કુટિરમાંથી બહાર દોડ્યા ત્યારે વાતાવરણમાં માત્ર મૃત્યુની ગંધ હતી. પ્રભાસ પાટણની ક્ષિતિજ પર મશાલના અગ્નિકુંડ જેવા અજવાળા દેખાવા લાગ્યા હતા—એ અજવાળું કોઈ ઉત્સવનું નહોતું, પણ અખંડ વિનાશનું હતું. મહમૂદ ગઝની તેની 'તીડ-લશ્કર' જેવી રાક્ષસી સેના સાથે સોમનાથના પવિત્ર ઉંબરે કાળ બનીને આવી પહોંચ્યો હતો.​"જાગો! પાટણના વીરો જાગો! અધર્મ આંગણે આવી ઊભો છે!" રત્નેશ્વરનો અવાજ રાત્રિના ગહન અને ડરામણા અંધકારને ચીરી રહ્યો હતો. મંદિરના તોતિંગ નગારા પર જ્યારે ચોટ પડી, ત્યારે તેનો અવાજ કોઈ રુદન જેવો ભાસતો હતો. ...વધુ વાંચો

3

પૂજારી - ભાગ 3

પૂજારીભાગ - ૩: ગર્ભગૃહનો મહાકાળ અને રક્ત-અભિષેકલેખિકાMansi DesaiDesai MansiShastri​બહાર મેદાનમાં હજારો લાશો પર ગીધડાંઓ ઉતરી રહ્યા હતા, અને અંદર મુખ્ય મંડપમાં ગઝનીના સૈનિકોની રાક્ષસી ચીસો ગુંજી રહી હતી. પંડિત રત્નેશ્વર ગર્ભગૃહના દ્વાર પાસે ઉભા હતા. તેમના કાનમાં મરતા સૈનિકોના કરુણ આક્રંદ અને આક્રમણખોરોની વિકૃત હાસ્યના અવાજો અથડાતા હતા. મંદિરની જે પવિત્ર હવામાં ક્યારેક ગૂગળનો ધૂપ મહેકતો હતો, ત્યાં આજે બળતા માનવ દેહની દુર્ગંધ અને તાજા લોહીની લોખંડી ગંધ પ્રસરી ગઈ હતી.​મહમૂદ ગઝની જ્યારે તેના લોહીથી ખરડાયેલા બૂટ સાથે ગર્ભગૃહની ઉંબરે પહોંચ્યો, ત્યારે તેની નજર રત્નેશ્વર પર પડી. રત્નેશ્વરનો સફેદ જનોઈ હવે લાલ થઈ ચૂક્યો હતો, અને તેમની આંખોમાં સાક્ષાત્ ...વધુ વાંચો

4

પૂજારી - ભાગ 4

પૂજારીઅંતિમ પ્રકરણ: વિનાશનું રણ અને શ્રદ્ધાનો સૂર્યોદયલેખિકાMansi DesaiDesai MansiShastri​૧. સ્મશાનવત પાટણઅને આત્માનો આક્રંદ​સોમનાથનું પ્રાંગણ જે ક્યારેક વેદમંત્રોના નાદથી ગુંજતું ત્યાં આજે માત્ર પવનનો કરુણ સુસવાટો અને ગીધડાંઓની પાંખોનો ફફડાટ સંભળાતો હતો. ગર્ભગૃહની અંદર પૂજારી રત્નેશ્વરનો ક્ષત-વિક્ષત દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. ગઝનીએ લૂંટ ચલાવી હતી, પણ તે લોહીની ગંધ આખા મંદિરમાં પ્રસરી ગઈ હતી. ગઝનીના સૈનિકોએ સોનાના કપાટ ઉખેડી લીધા હતા, શિવલિંગના ટુકડા કરી તેને અપવિત્ર કર્યા હતા, અને જતાં-જતાં આખા મંદિરમાં આગ ચાંપી દીધી હતી.​ધુમાડાના કાળા ગોટેગોટા આકાશને ગળી રહ્યા હતા. આખું પાટણ અત્યારે એક જીવતું-જાગતું સ્મશાન હતું. જે ગર્ભગૃહમાં રત્નેશ્વર નો દેહ પડ્યો હતો , ત્યાં છત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો