" નિકેત, આજે હું તને એક વાત કહેવા માંગુ છું જે હમણાં તારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ અને પછી આપણે બંનેએ ભેગા થઈને ખૂનીને પકડવાનો છે. " નીશા થોડી ગભરાયેલી અને કોઈ ગહન વિચારમાં ડૂબેલી દેખાતી હતી અને એકજ શ્વાસે આ બધું જ બોલી રહી હતી અને નિકેત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. નિકેત: પણ થયું છે શું..?? તું મને બરાબર વાત કર તો ખબર પડે અને તે મને આમ અચાનક અહીંયા મળવા માટે કેમ બોલાવ્યો છે..?? નીશા: અરે હા, એ બધી વાત કરવા માટે જ તો મેં તને અહીં બોલાવ્યો છે. (અને પછી નીશા ખૂબજ દુઃખી હ્રદયે પોતે જે જાણતી હતી તે કહેવા લાગી.) મયંકે આત્મહત્યા નથી કરી તેનું ખૂન કરવામાં આવ્યું છે અને તે પણ કોણે કર્યું છે તેની મને ખબર પડી ગઈ છે.હવે તારે મને એ ખૂનીને પકડવામાં મદદ કરવાની છે.

Full Novel

1

રહસ્ય - ભાગ-1

" નિકેત, આજે હું તને એક વાત કહેવા માંગુ છું જે હમણાં તારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ પછી આપણે બંનેએ ભેગા થઈને ખૂનીને પકડવાનો છે. " નીશા થોડી ગભરાયેલી અને કોઈ ગહન વિચારમાં ડૂબેલી દેખાતી હતી અને એકજ શ્વાસે આ બધું જ બોલી રહી હતી અને નિકેત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. નિકેત: પણ થયું છે શું..?? તું મને બરાબર વાત કર તો ખબર પડે અને તે મને આમ અચાનક અહીંયા મળવા માટે કેમ બોલાવ્યો છે..?? નીશા: અરે હા, એ બધી વાત કરવા માટે જ તો મેં તને અહીં બોલાવ્યો છે. (અને પછી નીશા ખૂબજ દુઃખી હ્રદયે પોતે ...વધુ વાંચો

2

રહસ્ય - ભાગ-2

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, નીશા તેની દીદીના સ્યુસાઈડના એક મહિના બાદ દીદીનું વોરડ્રોબ ફેંદી રહી હતી કે, દીદીએ ચીઠ્ઠી કે કોઈ લખાણ તો ક્યાંય મૂક્યું નથીને..?? અને બન્યું પણ એવું જ નીશાને તેની દીદીની લખેલી રોજનીશી મળી આવી અને તેમાં જે લખ્યું હતું તે વાંચીને નીશાના પગ નીચેથી તો ધરતી જ ખસી ગઈ હતી. આ વાત તેણે પોતાના મિત્ર નિકેતને કરી. અને પછી બંને મળીને નિકેતના પપ્પાના મિત્ર પીએસઆઇ શ્રી પટેલ સાહેબ પાસે જવાનું નક્કી કર્યું અને તેમની સલાહ લેવાનું નક્કી કર્યું. બંને નક્કી કર્યા મુજબ પોલીસ સ્ટેશને પહોંચી ગયા, પીએસઆઇ શ્રી પટેલ સાહેબે નીશાની દીદી નીતાની લખેલી ...વધુ વાંચો

3

રહસ્ય - ભાગ-3 - છેલ્લો ભાગ

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, નીશાને પોતાની બહેનના સ્યુસાઈડ કરવા પાછળનું રહસ્ય અને મયંકનો ખૂની કોણ છે તે બધી ખબર પડી ગઈ હતી હવે તેણે પોલીસની મદદથી તેને પકડવાનો જ હતો. આ બધીજ વાતની રજૂઆત તેણે પોતાના મિત્ર નિકેતની મદદથી પીએસઆઇ શ્રી પટેલ સાહેબને કરી દીધી હતી અને શ્રી પટેલ સાહેબે તેને પ્રોમિસ આપી હતી કે, " આ વાતની પૂરેપૂરી તપાસ હું મારા હાથમાં લઈ લઉં છું અને આપણે ગુનેગારને પકડીને જ રહીશું તેવી ખાતરી પણ આપું છું. હવે આગળ... પીએસઆઇ શ્રી પટેલ સાહેબના જવાબથી નીશાને અને નિકેતને થોડી શાંતિ થઈ બંને ઘરે પાછા ફર્યા અને આ બાજુ પીએસઆઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો