"પ્રેમ" એક મોહ, એક લાગણી.

(4)
  • 8.8k
  • 0
  • 1.5k

પ્રેમ ને ધર્મ કરતા પણ ઉચ્ચ માનવામાં આવ્યો છે અને એમાં કોઈ ઉમર ને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ નથી, પ્રેમ માં કોઈ પણ પ્રકારનીબાધા કે તેના નિયમો નું વર્ચસ્વ આલેખવામાં આવતુંજ નથી, પ્રેમ એ સબંધ માં નિસ્વાર્થ ભાવથી ઉદ્દભવતો એક જીવનદોરો છે, કે એનીમાત્રા નથી કે કોઈ સામયિકતા ની જરૂર નથી, વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, કે પ્રકૃતિ હોય બધાને પ્રેમ કરી શકીયે એમાં કોઈ બંધન કુદરતકે માનવી દ્વારા બનાવવામાં આવ્યુજ જ નથી, સબંધો અનુસાર પ્રેમની વ્યાખ્યા અને કામના માં ફેરફાર થતો હોય છે.

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

પ્રેમ એક મોહ, એક લાગણી. - 1

પ્રેમ ને ધર્મ કરતા પણ ઉચ્ચ માનવામાં આવ્યો છે અને એમાં કોઈ ઉમર ને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ નથી, માં કોઈ પણ પ્રકારનીબાધા કે તેના નિયમો નું વર્ચસ્વ આલેખવામાં આવતુંજ નથી, પ્રેમ એ સબંધ માં નિસ્વાર્થ ભાવથી ઉદ્દભવતો એક જીવનદોરો છે, કે એનીમાત્રા નથી કે કોઈ સામયિકતા ની જરૂર નથી, વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, કે પ્રકૃતિ હોય બધાને પ્રેમ કરી શકીયે એમાં કોઈ બંધન કુદરતકે માનવી દ્વારા બનાવવામાં આવ્યુજ જ નથી, સબંધો અનુસાર પ્રેમની વ્યાખ્યા અને કામના માં ફેરફાર થતો હોય છે.મૂળભૂત રીતે પ્રેમ સ્વાર્થ અને નિસ્વાર્થ બે ભાવથી જ હોય છે પણ પ્રેમ ના અનેક પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, સંપૂર્ણ ધરતી ના ધર્મોમાંપ્રેમ નો જ મહત્તમ ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ નજીવી જિંદગીમાં પ્રેમને ક્ષણિક હથિયાર બનાવીને તેનો દુરુપયોગ પણ આખેપાટા બાંધીને થઇ જ જાય છે, દુનિયામાં માણસો સિવાય ના બધા પશુ-પંખી, જીવ-જંતુ, પ્રકૃતિ નિસ્વાર્થ ભાવેજ પ્રેમ નું આદાન પ્રદાન કરેછે, યુગ બદલાતા પ્રેમ માં પરિવર્તન ખાલી માણસો માંજ આવ્યું પણ પ્રકૃતિ કે પશુ -પંખી, જીવ-જંતુ માં એની અનુભૂતિ બદલવા નથીદીધી.શાસ્ત્રો માં સાચા પ્રેમની વ્યાખ્યા આત્મા થી પરમાત્મા ના મિલન ને ગણવામાં આવી છે, મનુષ્ય જીવન માં પ્રેમ નેજ મોટી મુળી ગણવામાંઆવી છે, કોઈપણ વ્યક્તિ ને જીતવામાં પ્રેમ સૌથી મોટું મહત્વ ધરાવે છે અને હથિયાર પણ સૌથી મોટું બની પણ જાય છે, जो दिशा हीन करदे।दूनिया महसूस ना करवाए॥वो नही बल्कि...सही दिशा बताए ।या अपना जीवन दुनियामे पवित्र करदे वो ॥ " प्रेम "પ્રેમ એક મોહ છે કે એક લાગણી, એ પ્રેમ કરવા વાળા સિવાય બીજા કોઈ સમજી સકતા નથી અને એના જુદા જુદા તારણો કાઢતા હોયછે, પણ વ્યક્તિ ના હાવભાવ કે બોલી ઉપરથી અમુક સાચા તારણો નીકળી શકતા હોય છે, સૌથી વધારે પ્રેમમાં પેલીનજર નો પ્રેમ વધારેથતો જોવા મળે છે, એ પ્રેમ કાંતો શરીર જોઈને થાય છે કા એના કામ, એનું વર્તન,એનો ઈમ્પ્રેસ કરવાનો આઈડિયા જોઈને થાય છે, એ પ્રેમમાં પણ મોહ અને લાગણી બંનેનો સમાવેશ હોય છેજ પણ અમુક જ વ્યક્તિ ને લાગણીનો પેલી નજરમાં પ્રેમ જોવા મળે છે,જયારે બીજી વાર મુલાકાત થાય ત્યારે બને ની નજર, એક બીજાનું અંતર અને વાત કરવાની રીત પ્રેમ માં આકર્ષણ નું કેન્દ્ર વધારે મજબૂતબનાવે છે,બને ની પહેરવેશ ની પસંદગી, અને આજના જમાનામાં ઘણા ખરા નજરો માં આવતા નુસખાથી મોહી જાય છે,હમેશા સાચો પ્રેમક્યારેય એક સરખા સ્વભાવ સાથે થતોજ હોતો નથી.મોહ નો પ્રેમ એક સ્વાર્થ ભર્યો કહેવામાં આવેછે, તેમાં તે મારોજ છે કે મારીજ છે, કે એક તરફીજ લાગણી રાખવાની બને ને વધારે નજીકરેવાની ભાવના વ્યક્તિ વચ્ચેના માનસિક, આર્થિક કે શારીરિક સબંધ ને બનાવીને જાળવી રાખવાની ભાવના અતૂટ બંધાતી જાય છે ને એકોઈ પણ લાગણી બીજા જોડે બાંધવામાં અસહમતી રખાવે છે, અમુક સમયાંતરે સકીલો સ્વભાવ ને શંતોષ વગર નો સબંધ બની જાયછે, એટલે એ મોહ ના પ્રેમ માં વિશ્વાસ અમુક સુખ માણ્યા પછી ઓછો અને નહિવત પ્રમાણમાં થઇ જાય છે, આવા સબંધો માં પવિત્રતા નેસમજવામાં કે એનું પાલન જોવામાં આવતુંજ નથી, ગમેતે વ્યક્તિ ગમેતે બીજી વ્યક્તિ ને પણ પ્રેમ કરતી હોય એ ઘણા ખરા અંશે સ્વાભાવિક બનેજ છે પણ તે મોહ માં અવિસ્વસ્નીય તરીકેજોવાની વૃત્તિ રાખે છે, જયારે પણ સંજોગો અનુસાર દૂર થવાનું આવે છે ત્યારે કા એ પ્રેમ ભુલાઈ જાય છે કા એના ઘાતક પરિબળ રૂપેપ્રવર્તે છે, પણ એમાં એકબીજાની લાગણી કે સંજોગો સમજવામાં ઘણીખરી અનાવડત રેતી હોય છે, અંતે એ પ્રેમ જરૂરિયાત સંતોસવા નોહિસ્સો હતો એમ મોહજ બની જાય છે. જરૂરી નથી બને બાજુથી મોહજ હોય પણ તોજ આવા વાક્યો બને પણ એકતરફી મોહ ના કારણેપણ આવા વાક્યો બને એને વધારે પડતા એક તરફીજ જ મોહ વાળા પ્રેમ હોય છે. ક્રમશઃ ... ...વધુ વાંચો

2

પ્રેમ એક મોહ, એક લાગણી. - 2

પ્રેમ માં જયારે સ્વાર્થ નો ભાગ આવી જાય ત્યારે તે પ્રેમ મોહ હતો એની ઓળખ થાય છે, વધારે પડતા દુનિયાને દોષ આપે છે કેદુનિયાજ એવી છે યુગ એવો છે, પણ એ ધ્યાન માં નથી લેતા કે આપણા વિચારો એવા છે, પરિવર્તન સંસાર નો નિયમ છેજ પણ વિચારોકે આપણી વૃત્તિ ને મોહ માં પરિવર્તન કરવી એ નિયમ નથી, પ્રકૃતિમાં પ્રાણી-પક્ષી માં એ બાબતે પરિવર્તન ક્યારેય આવ્યું હોય એવોજીવન ની શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં દાખલોજ નથી. મનુસ્ય ને પ્રકૃતિ કે પ્રાણી-પક્ષી પ્રત્યે મહત્તમ એકતરફી મોહ નોજ પ્રેમ જોવામળે છે, એટલેજ એમનું દોહન કરતા સોસણ ની વૃત્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે.મોહ નો પ્રેમ એક સ્પર્ધાત્મક ને લીધે પણ થાય છે જીવન માં કોઈપણ ઉંચાઈ સર કરવી એ ખોટી વાત નથી પણ પ્રેમ ને હથિયાર બનાવીનેકોઈના પર હાવી થવું કે એને જરૂરિયાત પ્રમાણે મેળવી લેવું એ આપનો દોષ છે ના કે દુનિયા કે સમય નો "સમય એવો છે ભાઈ " આમહત્તમ સાંભળવા માં આવે છે, પણ સમય પેલા પણ એવોજ હતો ને આજે પણ એવોજ છે, મોહ સમય નથી લાવતો એ આપણા વિચારોને આધીન હોય છે, આહાર,વિહાર, ને વ્યવહાર આપણા મૂળભૂત માં ફેરફાર ને કારણે સમય ને દુનિયામાં બદલાવ થતો આપને દેખાયછે, દુનિયા પણ મોહ ના પ્રેમ ને સમયાંતરે અવગણેજ છે ને એના જીવન પણ યાદ કરતા હોય એવું હોતુંજ નથી.ધાર્મિક પુસ્તકો કે પ્રેમ માં મહાન બની ગયેલા વ્યક્તિત્વ માં હંમેશા લાગણી નોજ પ્રેમ પ્રેમ હોય છે, અને કોઈ પણ પુસ્તકો કેવિચારધારામાં લાગણી ના પ્રેમને ગુનો ગણવામાં આવ્યોજ નથી, સંતોસ નો ભાવ, એક બીજાને કોઈ પણ પરિસ્થિતિ માં સમજવાનીશક્તિ લાગણી ને વ્યક્ત કરે છે, એ પ્રેમ માં વિશ્વાસ ક્યારે પણ નાશવંત થતો નથી કેમકે એમાં શંકા ને કોઈ પણ સ્થાન આપવામાંઆવતુંજ નથી, કોઈ પણ પરિસ્થિતિ કે કોઈના કહેવાથી વિશ્વાસ માં ઉણપ આવવી કે સક માં પરિવર્તિત થવું એ સંભવ જ નથી હોતું, અને અવા પ્રકારનો નિસ્વાર્થ ભાવે પ્રેમ પણ મનુસ્ય માં જૂજ પ્રમાણમાં જ જોવા મળે છે, કહેવામાં આવે છે કે લાગણી નો પ્રેમ ભાગ્યશાળીવ્યક્તિ નેજ મળે છે, પણ એ નથી સમજતા કે ભાગ્ય જ આપણે મોહ નું બનાવીયે તો લાગણી આપણા માટે બીજા રાખે એ શક્ય નાજબને બને બાજુથી લાગણી નો પ્રેમ હોય ત્યારે. બને કોઈ પણ દુનિયાની એની નકારાત્મક ટેવો ને અવગણના કરીને એક બીજાનીસકારાત્મકતા ને બળ આપીને આગવી ઓળખ ઉભી કરે છે, એક બીજાનું ખરાબ જોઈ નય સકતા પણ એના ખરાબ કરેલા કામો માંસુધારવા માં મહત્વનો ફાળો આપે છે નાકે એને તરછોડી ને એ એનીજ ભૂલ છે એવું સમજીને એકલા સુધારવાનું ધ્યાન દોરે પણ બને નીભૂલ સમજીને બને સાથેજ નિવારણ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ પરિસ્થિતિ માં સાથ ના છોડવો કે એમના લીધે કોઈ પણ સંકટ નું આવવાનું પરિબળ જણાતા સાથ ના છોડવો એ લાગણી નાપ્રેમ માંજ શક્ય બને છે, લાગણી ના પ્રેમ ને પોતાનો પડછાયો પણ કહેવામાં આવે છે કેમકે તે પડછાયાની જેમ કોઈ પણ સંજોગો માં સાથેઅને આપણી ખુશી માં પાછળ ને દુઃખમાં હર હંમેશ આગળ રહે છે, જીવન માં પરિવારના પ્રેમ ના દાખલ આપવામાં આવતાજ નથી સાચીરીતે માતા,પિતા કે એના સંતાનો ને ભાઈ,બહેન એવા કોઈ પણ સબંધ માં લાગણી નોજ પ્રેમ હોય છે, પ્રેમ માત્ર અજાણ્યા સ્ત્રી પુરુષ માંજલાગણી નો પ્રેમ ઉદભવે એજ જરૂરી નથીજ હોતું, દુનિયા માં લાગણી ના પ્રેમની સાબિતી આપવાની પણ ભાવના હોતી નથી, એક બીજાનેપરસ્પર એવીજ અતૂટ ભાવના થી જિંદગી પસાર થઇ જાય એવોજ ભાવ રાખીને એકબીજામાં લિન રહેતા હોય છે. મોહ માં પ્રેમ સમયાંતરે ઓછો કે નાશવંત થાય છે પણ લાગણી માં પ્રેમ અવિરત ને અવિનાશી હોય છે, એક બીજા માંજ રચ્યા પચ્યા રહેવુંએવું નહિ પણ દુનિયાના હરેક જીવ પ્રત્યે લાગણીશીલ પ્રેમ કરવાની ઉર્જા માં વધારો થાય છે, લાગણી નો પ્રેમ જીવન માં મીઠાસ ભર્યોભાવ ને વધારે ઉદભવીને અનેરી ઓળખ આપવામાં મહત્તમ ભાગ ભજવે છે, એવા પ્રેમ માં કોઈ વસ્તુ કે એના પ્રત્યેની જરૂરિયાત ને સ્થાન આપવામાં આવતુંજ નથી, લાગણી ના પ્રેમ માં એકબીજાને પ્રેમ ની સાબિતીઆપવાની તુલના પણ થતી જોવા મળતી નથી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો