લગભગ એક વરસ પહેલાંથી ગૌતમ અને મૂળભારથીનો પરિચય શરૂ થયો હતો. અનાયાસે થયેલી પિછાન સમાન આપત્તિની હૂંફ નીચે અનાયાસ પરિચયમાં પરિણમી હતી. વહેવારુ માણસોમાં ગમાર ગણાતા કવિને ફરવા માટે સંધ્યા સમેનો તાપીનો કિનારો રળિયામણો લાગતો હતો.