મારા અનુભવો:

(11)
  • 4.9k
  • 3
  • 1.1k

મારા અનુભવો’ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘શ્રાવણીયો’ લખતાં પહેલા મને સપને પણ વિચાર નહોતો કે ૨૦૧૬ ના વર્ષનો આ શ્રાવણ મહિનો મને આટલા બધા અનુભવો કરાવશે અને અંતે એ ઘટનાઓના સંસ્મરણોને કલમથી નીતારવા પડશે. કોઈ સાચી શિવ-ભક્તિના અનુભવો તો કોઈ સંપૂર્ણ ગાંડી-ઘેલી માનોસ્થિતિમાં – અંધશ્રદ્ધાથી ભરપુર ભક્તિ કરનારા તો કોઈ માનવા ખાતર મંદિરે જઈને તિલક કરતા ભક્તો... પણ ખરેખર, એક યા બીજી રીતે ભક્તો શિવને નતમસ્તક થાય છે એ જાણીને – જોઇને ખુબ આનંદ થયો. આવા રસપ્રદ, રમુજી અને ભાવુક અનુભવો આ પુસ્તકમાં વાચવા મળશે. આશા છે કે વાચકો ને ગમશે.