પલાખાં બહારનું પર્યટન

  • 7.3k
  • 2.2k

વિનોદ જોશી - કાવ્યસ્વાદ પલાખાં બહારનું પર્યટન નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે... ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ, નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સહુ રંગ મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે... નિરુદ્દેશે... પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, તેજ-છાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી, એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે... નિરુદ્દેશે... - રાજેન્દ્ર શાહ સંસ્કૃતમાં કહેવાયું છે કે પ્રયોજન વિના મંદબુદ્ધિનો માણસ પણ કશું કરતો નથી.