Jagadguru Chapter-3

(16)
  • 3.3k
  • 6
  • 863

જગદ્ ગુરુ આદ્ય શંકરાચાર્યના જન્મથી માડીને જગતવિજય સુધીની આ કથાના મૂળમાં છે હિન્દુ ધર્મની સંસ્થાપના. બૌદ્ધ ધર્મના ઝંઝાવાત સામે એમણે સમગ્ર હિન્દુરાષ્ટ્રને એકતાંતણે બાંધ્યું અને ભગવાન બુદ્ધને હિન્દુ ધર્મના એક અવતાર તરીકે પ્રસ્થાપિત કર્યા. દેશની ચારેય દિશામાં ચાર મઠની સ્થાપના કરી. અનેકોનેક શ્રધ્ધેય ધર્મગ્રંથોની રચના કરી અને આ બધું કર્યું માત્ર 32 વર્ષના ટૂંકા આયુષ્યકાળમાં. એક રીતે માન્યામાં ન આવે એવી અનેકવિધ સિદ્ધિઓ શ્રીમદ્ શંકરાચાર્યને વરી. એમના જન્મથી માડીને જગતવિજય સુધીની કથાનો આ ત્રીજો મણકો છે.