Mangal Prabhat

  • 16.9k
  • 5
  • 4.4k

યરવડા જેલમાં ગાંધીજીની સજા દરમિયાન કંઇ પણ સ્વદેશી ન લખવું તે બાબતે સરકારને નિર્ભય કરી હતી. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એક બે ભાઈઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું. કાંઈપણ કાર્ય શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઈએ એવો ગાંધીજીનો આગ્રહ હોવાથી દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક પ્રવચન લખી મોકલવાનો એમણે સંકલ્પ કર્યો. જેના કારણે ‘મંગલ પ્રભાત’ની રચના થઇ. ઉપર કહ્યું છે તેમ આ પ્રવચનો મંગળપ્રભાતે લખાતાં હતાં એટલે આ પ્રવચનસંગ્રહનું નામ મંગળપ્રભાત જ રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમય જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી એમ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર આ પુસ્તકના પરિચયમાં જણાવે છે.