ASHIRVAD

(16)
  • 4k
  • 1
  • 1.3k

જોગી ઠાકુરના : આશીર્વાદ (૧૯૬૮) કિશોર શાહઃસંગોઇ આશીર્વાદ એ હૃષિકેશ મુખર્જીની સરળ અને લાગણીશીલ ફિલ્મ છે. આ ફિલ્મ ન્યુ થિયેટર્સના બી.એન.સરકાર અને વી.શાંતારામને અર્પણ કરાઇ છે. જમીનદારીના બેકગ્રાઉન્ડ પર રચાયેલી આ ફિલ્મમાં એ સમયે જમીનદારના જુલ્મો અને એમની ક્રુરતા છતા થાય છે, છતાં ક્રૂરતાના આ કાદવ વચ્ચે પણ ક્યાંક માનવતાનું કમળ ખીલે છે એની પ્રતિતી પણ થાય છે. જમીનદારોના જુલ્મ અને શોષણ નકસલવાદના મૂળ હોઇ શકે. આ ફિલ્મની કથા આંખને ભીની કરી દે એવી છે. આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે અશોક કુમારને ૧૯૬૯નો ફિલ્મફેર ઍવોર્ડ અને ૧૯૬૯નો નેશનલ ફિલ્મ ઍવોર્ડ મળ્યો હતો. નિર્માણ : એન.સી. સીપ્પી-હૃષિકેશ મુખર્જી વાર્તા-સ્ક્રીનપ્લે-ઍડિટીંગ-ડિરેકશન : હૃષિકેશ