અને એ શૈતાન બની ગયો(ભાગ-૧)!!!!!!

(92)
  • 3.9k
  • 9
  • 1.6k

ભારતના એવા ઘણા સ્થળો એવા છે જ્યા માણસોના પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે.વિજ્ઞાનના વિચારો એના પ્રયોગોની પર પણ એવી દુનિયા રહેલી છે,જેની અનુભૂતિ તો થાય છે પણ માનવું કે નામાનવું એ બે પક્ષ વચ્ચે પલ્લુ ડગુમગુ અને એકબાજુ ઉપર-બીજી બાજુ નીચે થતુ હોય છે.ઘણા લોકોને આનો દેખીતો અનુભવ થતો હોય છે,પણ બોલવા જતા ફાટી જતી હોય છે.એવા સ્થળોને તમે ભુત બંગલો,પિચાશ સ્થળ,શાપિત ઘર,હોરર પ્લેસ કહી શકો.શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે ભુત-પિચાશની પણ યોનિઓ હોય છે.યોનિનો અર્થ સમજાવુ તો,તમે હમણા માનવ યોનિમા છો,સીધો-સાદો અર્થ એવો કહી શકુ કે,કોઈ પણ જીવ-આત્માને જે શરીર મળે,તે યોનિમા છે એમ કહેવાય છે.કેટલાક એવા ઘણા સ્થળો છે,જ્યા કહેવામા આવે છે કે આ સ્થળ હોન્ટેડ છે,અહિયા કોઈ સ્ત્રીની,કોઈ માણસની આત્મા ભટકે છે અને રાત્રે તેના રુદનનો અવાજ આજે પણ સાંભળવામા આવે છે,આજે પણ ત્યા આગ લાગે છે અને એ સ્ત્રી આગમા જોહર કરે છે અને એવું કરુણ રુદન કરે છે જે સાંભળનાર ના હદયને ધ્રુજાવી મુકે છે.આવી જ સત્ય અને અસત્યને પર એક સત્ય સગી આંખે જોયેલી સ્ટોરી રજુ કરી રહ્યો છુ.”ડરના મના હૈ”એ કાળી રાત એ ચાર જણાને હજુય યાદ છે,અને આ વિષે તે ચારેય જણાને આજે કોઈ પુછે છે ,ત્યારે તેમના મુખ ડરથી ભાંગી પડે છે,એ રાત હતી વર્ષના છેલ્લા દિવસની........