નવનીત પણ વિચાર કરવા લાગ્યો કે શું થઈ રહ્યું હતું? અચાનક જ તેને રોનક શ્રીવાસ્તવ ની યાદ આવી પણ એ તો આજે જ દિલ્હી બદલી લઈને જતો રહ્યો છે. અમિત પારેખ પણ બીજા વિભાગમાં બદલી લઈને જતો રહ્યો હતો."શું વિચાર આવ્યો?" પ્રીતમ સિંહ પુછે છે."બસ આ રમતને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. રોનક શ્રીવાસ્તવ અને તેનો સચિવ પણ ચુંટણી સમયે જ અંહીથી બદલી લઈને જતા રહ્યા." નવનીત કહે છે."સર આપણી ઓફીસ ની બહાર લોકોની ભીડ ઉમટી રહી છે. શું થયું?" પ્રીતમ સિંહ પુછે છે.નવનીત બહાર જોવે છે તો પચાસ થી સો લોકોનું ટોળું નવનીત ના નામના સાઈન બોર્ડ ની