'આયનો' એ અશ્વિની ભટ્ટની ની લઘુનવલકથા છે. સસ્પેન્સ, થ્રિલર અને ભાવક ને અંત સુધી ઝકડી રાખે તેવી વાર્તા ના લેખક એટલે અશ્વિની ભટ્ટ.તેમ ની નવલકથા માં વાચક નદી ના પ્રવાહ ની જેમ તણાતો રહે છે, વહેતો રહે છે.એટલે જ કદાચ 'શેખાદમ આબુવાલા' એ આ લેખક વિશે યોગ્ય જ કહ્યું છે કે,"અશ્વિની ભટ્ટ લોખંડી વાચકો નો લેખક છે અને એ પણ એક આકર્ષક અકસ્માત છે કે તેની કલમ માં લોહચુંબક પણ ભારોભાર ભરેલું છે." ૧૭૦ પાનાં માં સમાયેલી 'આયનો' કૃતિ ની પ્રસ્તાવના માં જ લેખક કબૂલે છે કે આ કૃતિ માં કેવળ અદ્ભુતનું જ પ્રયોજન છે. 'આયનો' (અરીસો)માત્ર કોઈ વ્યક્તિ