જુની ફાઈલો ચેક કરતાં દિલાવર ખાન નામના કમાન્ડર નો ઉલ્લેખ મળે છે. આ કમાન્ડર નો એક આતંકી મુઠભેડમાં આંખ જતી રહી હતી. તે છેલ્લા ઘણા સમયથી ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આર્મીની બે કંપનીઓ ને કારગિલ ના સરહદી ગામડાઓમાં સઘન પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપવામાં આવે છે. જેમ બને તેમ બાતમી મેળવવા માટે વેશપલટો કરીને ગામોમાં લગ્ન પ્રસંગો મા શોધખોળ કરવા માટે કહેવામાં આવે છે. પાંચમા દિવસે લગભગ દસેક જેટલા લગ્ન પ્રસંગો હતા. બધા લગ્ન ની વિગતો એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા ને આપવામાં આવી. કોઈ પણ જાતની શંકા જાય એમ કશું લાગતું ન હતું. દરેક ગામમાં વર અને વધુ પણ ઓળખાય