નંદ તથા વસુદેવની મુલાકાત

આજ ની મારી આ વાર્તા માં આપડે જાણી શું કે વાસુદેવ અને એમના ભાઈ નંદ કેમના માળિયા...શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકીના વાસ્તવિક પુત્ર હતા, પરંતુ કંસના અત્યાચારને કારણે તેઓ પોતાના પુત્રનો જન્મોત્સવ ઉજવી શક્યા નહોતા. છતાં ધર્મપિતા નંદ મહારાજે અત્યંત ઉત્સાહ સાથે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવ્યો. બીજા જ દિવસે જાહેરાત કરવામાં આવી કે યશોદાએ પુત્રને જન્મ આપ્યો છે.વૈદિક પરંપરા અનુસાર નંદ મહારાજે વિદ્વાન જ્યોતિષીઓ અને બ્રાહ્મણોને જન્મોત્સવની વિધિઓ કરાવવા આમંત્રિત કર્યા. બાળકના જન્મ પછી જ્યોતિષીઓ જન્મલગ્નની ગણતરી કરીને તેના ભવિષ્ય વિશેની જન્મકુંડળી તૈયાર કરે છે. જન્મોત્સવ પહેલાં પરિવારના લોકો સ્નાન કરીને શુદ્ધ થાય છે, સુંદર વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે અને