નિતુ - પ્રકરણ 39

નિતુ : ૩૯ (ભાવ) નિતુ પોતાની રૂમમાં પ્રવેશી અને રૂમનો દરવાજો બંધ કરી તે કાચ સામે ખુરશી પર બેસી ગઈ. સજેલા શણગાર ઉતારવા લાગી પણ મન કોઈ અલગ ભાવોમાં તરવરી રહ્યું હતું. એક મોટી જવાબદારી તેણે પૂર્ણ કરી બતાવી. છતાં એના માટે જેણે સહકાર આપેલો એ વિદ્યા એના મનમાં હતી. એના જ વિચારોમાં તે ખોવાયેલી. તેણે કાચમાં પોતાની જાતને જોઈ અને એક ઊંડો શ્વાસ લઈને શાંત થઈ.સવારના સૂર્ય દર્શન સાથે ધીરુભાઈ અને અનંત આવી પહોંચ્યા. સામે રાખેલ હિંચકા પર પોતાની જગ્યા લેતા ઘરમાં શારદાને એકલા જોઈ અનંત બોલ્યો, "આંટી! તમે એકલા છો? નિતુ અને ઋષભ ક્યાં ગયા છે?"તેની પાસે આવી બાજુમાં