શક્તિ પર્વ - નવરાત્રી

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આપણા શાસ્ત્રો અનુસાર આમ તો મૂળ ચાર નવરાત્રી નો ઉલ્લેખ છે. પરંતુ જે આસો મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે એ નવરાત્રી વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગરબા ના નામે ગુજરાત મોખરે છે. ગરબા એ ગુજરાતીઓની ઓળખ છે. આપણો કોઈ પણ તહેવાર, ઉત્સવ કે સેલિબ્રેશન ગરબા વગર અધૂરું લાગે. નવરાત્રી નવ દિવસ સુધી ચાલતો તહેવાર છે. એટલે કે સૌથી લાંબો તહેવાર. નવે નવ દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે.સમય પ્રમાણે નવરાત્રી ની વ્યાખ્યા થોડી બદલતી જાય છે. ગ્રામ્ય લેવલે પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. જેમાં નાની નાની બાળાઓ પારંપારિક પરિધાનમાં સજ્જ