સંઘર્ષ - પ્રકરણ 5

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – 5 રાજધાની નગરમ્   પોતાની પ્રજા સમક્ષ સત્ય જણાવીને ભીમા દેવા અને ચતુરે પ્રજાને તેમનું અને આશાવનનું ભલું નવી વ્યવસ્થામાં જ છે એ સમજાવી દીધું હતું. પોતાની સંસ્કૃતિ અને પોતાનો વારસો જીવંત રહેશે અને માનપાન જળવાઈ રહેશે એનાથી વધુ એ પ્રજાને બીજું કશું જોઈતું પણ ન હતું. આથી તેમણે પણ પોતાના રાજાની જેમ જ કૃષ્ણદેવ રાયને પોતાનો રાજા અને ગુજરાતના સેનાપતિ પ્રકાશ