ફરે તે ફરફરે - 16

ફરે તે ફરફરે - ૧૬   અંતે ધાર્યુ ધણીયાણીનુ થાય આ કહેવત તમે બધ્ધા જીંદગીમા જો યાદ રાખશો તો દુખી નહી થાવ...(જમાનો અને કહેવત નવા છે ) મે ઘણી આનાકાની કરી જોખમ બતાડ્યા પણ મારા માટેનો એ લોકોનો આત્મવિશ્વાસ એટલો બધો ઉંચો હતો કે હું ખુદ ગદગદીત થઇ ગયો .."શું હું ખરેખર અટલો બધો મહાન છુ ?બળવાન છું ?" અંતે મારી અવઢવ કંઇ કામમા ન આવી ને મને લાઇફ જેકેટ પહેરાવવામા આવ્યુ ..આમતો મને આવા કટોકટીના પ્રસંગે હનુમાનજી યાદ  આવે  તેને બદલે ગીત યાદ આવ્યુ "હમકો મનકી શક્તિ દેના મન વિજય કરે , " હુ "ડગમગતો પગ રાખ તું સ્થીર