કાળું ગુલાબ

  • 1.3k
  • 622

કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસેન ન્યાયપ્રિય અને પ્રજાપાલક રાજા હતા. તે પોતાની વસ્તીના સુખ-દુઃખ જાણવા વેશપલટો કરીને નીકળતા હતા. જો પોતાના રાજમાં કોઈ પણ માણસ દુઃખી જણાય તો તેમને રાજની તરફથી મદદ મળતી હતી. રાજા ઉદયસેન પોતે ગુપ્તવેશે નગર ચર્ચા તથા લોકોના સુખ દુઃખ જોવા નીકળતા હતા. આમ તેમના રાજ્યની પ્રજા ખૂબ જ સુખી હતી અને પ્રજા પણ રાજા થી સંતોષ હતી. મંગલપુર ની સીમા પણ ખૂબ જ દૂર સુધી ફેલાયેલી હતી, અને રાજનો ખજાનો પણ કાયમને માટે ખીચોખીચ ભરેલો રહેતો હતો. આમ પ્રજા રાજાની રાજ વ્યવસ્થા થી ખૂબ જ સંતોષ હતી. રાજા પણ સારી રીતે