એક સતીની આત્મકથા

  • 2.6k
  • 390

હે ભગવાન! આ મારી સાથે શું થઈ ગયું! , હે નાથ તમે કેમ મને એકલી મૂકીને આમ ચાલ્યા ગયા. હું તમારા વગર એક પળ ના રહી શકું. હું તમને એકલા નહિ જવા દઉં. હે ગિરધર ગોપાલ આ મુઈ અભાગણ ને તારી પાસે બોલાવી લે. " ચોતરફ અભણ, અબૂધ કમલી નો આક્રંદ છવાયેલો હતો. લગ્ન થયે હજુ માંડ આઠેક મહિના થયા હશે ને ત્યાં તો આ ભયંકર વિપદા તેની માથે આવી પડી. તેનાથી બમણી ઉંમરનો તેનો પતિ જરા અમથી માંદગી માં હામ છોડી રામ થઈ ગયો.અને કમલી બચાળી આ વિકરાળ દુનિયામાં એકલી રહી ગઈ. કમલી ના સાસુ ,સસરા, નણંદ, માં, ભોજાઈ