ખજાનો - 36

" રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત છે. અહીના ખરેખર રાજા ક્યાં ગયા હશે ? અને આ નુમ્બાસા કેવી રીતે રાજાના સ્થાને આવ્યો ? એ પણ એક કોયડો છે. " હર્ષિતે કહ્યું. " ફ્રેન્ડસ હમણાં મારામાં કોઈ કોયડા ઉકેલવાની તાકાત નથી. કેમકે ડર અને થાકની સાથે મને ભૂખ પણ લાગી છે. આ નુમ્બાસા આપણને ખાવાનું આપશે કે આમ, ભૂખ્યા જ મારી નાખશે ?" સુશ્રુતે કહ્યું. " સુશ્રુતની જઠરાગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ છે. હવે જ્યાં સુધી તે શાંત નહિ થાય ત્યાં સુધી આપણા સૌનું તે માથું ખાશે. " ગંભીર વાતાવરણને હળવું બનાવવા લિઝાએ