ખજાનો - 23

" પણ તેને આવું કેમ થયું ? તેને ભાન આવ્યું, તે મારી પાસે આવ્યો અને ઢળી પડ્યો. પાંચેક કલાક થઈ ગયા. તોપણ તે ફરી બેભાન કેમ થઈ ગયો ?" નવાઈ સાથે હર્ષિત એ જોનીને પૂછ્યું. " માઈકલ અંકલ અને મારા પપ્પા આ વિશે વાતો કરતા હતા. તે મુજબ તો ચાર-પાંચ કલાકમાં ભાન આવી જવું જોઈએ. " હવે સુશ્રુતને ક્યારે ભાન આવશે ?" " કંઈ ખબર નથી યાર. આ વિશે હું વધુ જાણતો નથી. તેને ભાન આવે એ માટે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી." સુશ્રુતને વ્યવસ્થિત જગ્યા પર સુવાળ્યો. અંધારું થઈ ગયું હતું. જોની જહાજ ચલાવવા એન્જિન