અગ્નિસંસ્કાર - 47

  • 950
  • 2
  • 542

સાત દિવસની રજા બાદ સૌ ફરી એકજૂથ થયા. " આ કેસનો અંત હજુ નથી થયો..નથી આપણે પૂરી રીતે જીત્યા છીએ કે નથી હજી આપણે હાર માની છે...જ્યાં સુધી આપણે અંશ અને કેશવને જેલના સળિયા પાછળ ધકેલી ન દઈએ ત્યા સુધી આપણે દિવસ રાત મહેનત કરવાની છે.."" સર પણ હોસ્પિટલમાં જે છે એ અંશ છે કે કેશવ એ ખબર નથી તો પછી આગળની કાર્યવાહી કઈ રીતે કરીશું?" આર્યને કહ્યું." એના પાસ્ટ વિશે જાણીને...આજથી આપણા સૌનું કામ બસ એક જ રહેશે અંશ, કેશવ અને બલરાજના પાસ્ટ વિશેની જાણકારી મેળવવી. એક એક માહિતી મને જોઈએ... નાની અમથી એની આદતોથી લઈને એમની કુટેવો શું