હવે શું કરશું ?

  • 1.3k
  • 322

" શ્રી વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ નિર્વિગ્નમ કુરો મે ર્દેવો સર્વ કાર્ય શું સર્વ દા " સંધ્યાકાળ નો સમય હતો જ્યોતિબેન ઘરના મંદિરની આગળ દિવાબત્તી કરી મંત્રોચ્ચાર કરી ભગવાનનું નામ લઈ રહ્યા હતા . બાથરૂમમાંથી ઉલટી કરવાનો અવાજ આવી રહ્યો હતો . એમની દીકરી નિશાની તબિયત બે દિવસથી ખરાબ હતી નિશા બાથરૂમમાંથી બહાર આવી જ્યોતિ બેને ચિંતા કરતાં પૂછ્યું " બે દિવસ થયા દવાની અસર થઈ નથી .કેટલી વાર કહ્યું છે આ બહારનું ખાવાનું ઓછું કર પણ મારું સાંભળે કોણ છે ચલ તૈયાર થઈ જા આજે હું ડોક્ટર પાસે આવું છું રિપોર્ટ કરાવવા પડશે ફૂડ પોઈઝન હોત તો બે દિવસમાં