મુક્તિ - ભાગ 10

(12)
  • 1.2k
  • 4
  • 732

૧૦ વેરની વસુલાત   દસ વાગ્યા સુધી દિલાવર, ગજાનન અને ત્રિલોક બાર રૂમમાં બેસીને શરાબ પીતા રહ્યા.  પછી ગજાનન અને ત્રિલોક ગેસ્ટ રૂમમાં ચાલ્યા ગયા. દિલાવરે વધુ પડતો શરાબ ઢીંચ્યો હોવાને કારણે એ ખૂબ જ નશામાં હતો. એ થોડીવાર ગેસ્ટ રૂમમાં બેઠો અને પછી લીફ્ટ મારફત સાતમા મળે આવીને પોતાના રૂમમાં પહોંચ્યો. બપોરે જ ત્રિલોકે એના રૂમમાં શરાબની કેટલીયે બોટલો મોકલી આપી હતી. દિલાવર એક ખુરશી પર બેસી ગયો. એ વખતે રાતના સાડા દસ વાગ્યા હતા. નશાના અતિરેકને કારણે એ ખૂબ જ થાકી ગયો હતો. પરંતુ તેમ છતાંય આંખો બંધ કરવાની એની હિંમત નહોતી ચાલતી. કારણકે આંખો બંધ કરતાં જ