અગ્નિસંસ્કાર - 35

  • 1.4k
  • 1
  • 798

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સંજીવે કહ્યું. " સર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ચંદ્રશેખરને ટ્રેક્ટરથી બાંધ્યા પહેલા સામાન્ય એવી બેહોશીની દવા સુંઘાડવામાં આવી હતી..." " પહેલા ચંદ્રશેખરને બેહોશ કર્યો, પછી ટ્રેકટરની પાછળ દોરીથી બાંધ્યો અને પછી આખા ખેતરમાં ક્રૂરતાથી ખેંચવામાં આવ્યો.." વિજયે કહ્યું." સર, મેં ચંદ્રશેખર વિશે થોડી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે ગામની અડધી જમીન તો માત્ર એના નામે જ છે! કેટલીય જમીન તેમણે બળપૂર્વક લોકો પાસેથી છીનવીને પોતાના નામે કરી છે...અને જે કોઈ વ્યક્તિ એના ખેતરે કામ કરવા આવતા એની મજૂરી પણ ચંદ્રશેખર પૂરી આપતો ન હતો.. હિ વોઝ નોટ અ ગુડ મેન..." આરોહી એ કહ્યું." ચંદ્રશેખર નું ખૂન