લલિતા - ભાગ 11

  • 2.6k
  • 1
  • 1.5k

વેવાઈ પક્ષના મુખ્ય વ્યક્તિના સ્વભાવની સાથે પરિચિત થયાં બાદ લલિતાના મોટાભાઈ ચિંતિત થઈ રહ્યાં હતાં. જે ઘરમાં પોતાની સાવ ગરીબ ગાય જેવી બહેન જવાની છે તે ઘરનાં મુખ્ય વડાનો આવો કપરો સ્વભાવ છે તેવા ઘરમાં લલિતા કેવી રીતે રહી શકશે તે ચિંતા તેમને સતત થયાં કરતી હતી.બાપુજી ઉંમરલાયક હતાં તેમજ આટલી બધી છોકરીઓને પરણાવીને તેઓ સાવ ઘસાઈ ગયાં હતાં તેવામાં પોતાની હૈયા વરાળ બાપુજી સમક્ષ કાઢવી પણ શક્ય નહતું. મોટાભાઈએ વિચાર્યું કે કોઈને પણ પોતાની મનની ચિંતા કહેવાને બદલે હું લલિતાને જ સત્ય જણાવી દઉં તો સારું રહેશે કેમ કે તેણે જ ત્યાં રહેવાનું છે જો લગ્ન બાદ સ્વભાવની જાણ