દરિયા નું મીઠું પાણી - 20 - જેઠીબાઈ

  • 2.1k
  • 820

રાજપુતાના ના ખત્રીઓ ની રંગાટી નો કસબ જાડેજાઓ સાથે કચ્છ આવ્યો અને પછી કચ્છ થી હાલાર નું નવાનગર એટલે કે જામનગર માં ફુલ્યો ફાલ્યો. પણ તે સમયે દિવ બંદર ની જાહોજલાલી અને ત્યાંથી કાપડ ની નિકાસ ની મોટી તકો હતી અને આ તક ને માંડવી ના યુવાન પંજુ તાંતરિયા એ ઝડપી અને ત્યાં દિવમાં 16 મી સદી માં રંગાટી નું કારખાનું નાખેલું.. આ કારખાના માં બનતું કાપડ વિદેશો માં ખૂબ પ્રખ્યાત હતું..પંજુ તાંતરિયા ના લગ્ન માંડવી ના સવજી વલેરા ની પુત્રી જેઠીબાઈ સાથે થયેલા. પંજુ તાંતરિયા નું અવસાન થતાં આ કારખાનું જેઠીબાઈ એ સંભાળેલ. જેઠીબાઈ ને ત્યાં કામ કરનાર તમામ