જલધિના પત્રો - 7 - રાધાનો કૃષ્ણને પ્રેમ પત્ર

  • 1.5k
  • 536

હે કૃષ્ણ, તું એટલે મારા માટે સ્વયં પ્રેમનો પર્યાય. અસંખ્ય પ્રિયતમાઓ આ સૃષ્ટિમાં પોતાના પ્રિયતમને પત્ર લખી લાગણીઓ અભિવ્યક્ત કરતી હશે. પણ, મારે તને શું લખવું ? આ વિશ્વમાં કોઈ વસ્તુ એવી નથી કે તારા પરિચયમાં ન હોય. તો પછી આ રાધાના હૃદયથી તું અજાણ ક્યાંથી હોય ! લોકો મને 'કૃષ્ણપ્રિયા' કહી સંબોધે છે ત્યારે, બહુ ખુશી થાય છે અને હૃદયમાંહેનું રક્ત દરિયાસમું હિલોળે ચડે છે. જાણે હું કૃષ્ણમય બની જાઉં છું. છતાંયે,મારી લાગણીઓ પર કાબૂ રાખી શબ્દો લખું છું. કદાચ, તને મારી લાગણીઓ ઘાયલ કરી જાય ! કેમકે , તારું જતન જ મારું જીવન છે. તને પામવા કરતા તારી