વરદાન કે અભિશાપ - ભાગ 10

  • 2.7k
  • 2
  • 1.6k

વરદાન કે અભિશાપ (ભાગ-૧૦)             (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. અચાનક જ દાદાનું અવસાન થાય છે તે વાતથી નરેશ આઘાતમાં હોય છે. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે