રામનામ - 5

  • 1.6k
  • 732

(5) ૨૫. રામબાણ ઉપાય “આપે આમ લખ્યું છે : “ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્યદયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ’ (‘હરિજનબધું’, ૩-૩-’૪૬). “ ‘જે પાંચ તત્ત્વોનું મનુશ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયુ છે’ (‘હરિજનબંધુ’, ૩-૩-’૪૬). “ ‘આપણા શરીરના વ્યાધિઓ દૂર કરવાને માટે પણ રામનામનો જપ સર્વોપરી ઇલાજ છે’ (‘હરિજનબંધુ’, ૭-૪-’૪૬). “આપે કુદરતી ઉપચારમાં જ્યારે આ નવો સૂર કાઢ્યો ત્યારે, પ્રથમ તો મને એમ લાગ્યું કે, શ્રદ્ધા પર રચેલી સાઇકોથેરેપી૧ અને ક્રિશ્ચિયન સાયન્સ૨ જેવી આ એક પદ્ધતિ છે. નામ માત્ર જુદું છે એટલું જ. આવી વસ્તુને દરેક