શ્રવણ

  • 2k
  • 752

બનાસકાંઠા ના વાવ તાલુકા નું એક ગામ. ગામ મા આશરે એક હજાર જેટલી વસ્તી. તેમાં અલગ અલગ વર્ણો ના લોકો,પણ આખું ગામ સંપી ને રહે.ગામ ના લોકો એક બીજાના સુખદુઃખમાં પડખે ને પડખે. આ ગામમા એક નાનું એવું ખોરડું. ઘર માં ત્રણ જણ. પુરુષ નું નામ અમૃતભાઈ અને પત્ની નું નામ જશોદાબેન,આ દંપતી ખૂબ જ ધાર્મિક, એમને એક પુત્ર વિહાન ,,,લગ્ન ના આઠ વર્ષ પછી વિહાન નો જન્મ થયો હતો..તેને ગામમાજ ભણવા મુક્યો હતો. અમૃતભાઈ ને દસ વીઘા જમીન.એટલે સારી એવી ખેતી થાય અને ઘરે પણ પશુપાલન એટલે પૈસે ટકે સુખી. અમૃતભાઈ અને જશોદાબેન બહેન બંને ભણેલા ન હતા પણ