એકલો જાને રે - પુસ્તક સમીક્ષા

  • 5.6k
  • 2k

એકલો જાને રે....' અમદાવાદમાં ટટ્ટાર ઊભેલી 'કિડની ઇન્સ્ટીટયુટ' ના પાયૉનીયર, સ્વપ્નદ્નંષ્ટા ડૉક્ટર એચ. એલ.ત્રિવેદી સાહેબની આત્મકથા કહી શકાય એવી બૂક... હૈયામાં હામ અને દૃઢ સંકલ્પ હોય તો કંઇ પણ અશક્ય નથી એ વાતને સાબિત કરી બતાવનાર એક ઓલિયા 'ફકીર' ની જીવનકથા .. કેનેડાના અપાર ઐશ્વર્યને ઠોકરે મારીને વતનની સેવા કરવા આવેલા એક સાચા ભારતીય નાગરિક ની કથા...તો ચાલો ડોક્ટર શરદ ઠાકર ની કલમના સથવારે ડોક્ટર ત્રિવેદી ના જીવન સફર ના સાક્ષી બનવા..એક જાણીતા ડોક્ટર અને અને એથી વધુ જાણીતા કલમકાર દ્વારા આલેખાયેલી એક દેવતુલ્ય ડોક્ટર ની જીવન કથા એટલે 'એકલો જાને રે....' પુસ્તકનું શીર્ષક જ સ્પષ્ટ કરે છે કે જિંદગીએ