કેતન પારેખ વિશે ઓછી જાણીતી સત્ય હકીકતો

  • 9.9k
  • 1
  • 3k

જે લોકોને શેર બજારમાં રસ છે અથવા બજાર સાથે જોડાયેલા છે એ લોકોએ તેની જિંદગીમાં એકવાર તો કેતન પારેખના કૌભાંડ વિશે જરૂર સાંભળ્યું હશે. એવું તે આ કૌભાંડમાં શું છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ ને પણ હચમચાવી દીધું અને દુનિયાભરના પ્રમુખ સમાચારોમાં અચાનક ભારતીય શેરબજારને મુખ્ય સ્થાન મળી ગયું. કેતન પારેખે એકલા હાથે શેર બજાર ચલાવીને તેના રોકાણ કરેલા શેરો માંથી વરસનું ૨૦૦ ટકા વળતર મેળવેલું. તે બજારમાં ભાવોની અસાધારણ વધઘટ કરી મોટા પ્રમાણમાં બજારમાંથી પૈસા રળવા લાગેલા. પણ જ્યારથી તેનું નામ "કેતન પારેખ તેમજ કે ટેન સ્ટોક કૌભાંડ "માં ખરડાયું ત્યારથી તેની કારકિર્દીનો સમય પહેલા જ અંત આવી ગયો.