પશ્ચાતાપ - ભાગ 4 - છેલ્લો ભાગ

(23)
  • 2.4k
  • 3
  • 1.3k

પશ્ચાતાપ (ભાગ-૪) આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. અનુજ તેની થનારી પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર થઇ જાય છે. સ્મીતાની વાત મનોજભાઇના ભૂતકાળ સાથે સંલગ્ન હતી. તેઓએ તેમની પહેલી પત્ની શારદા અને બે બાળકોને સેવંતીબેન સાથે લગ્ન કરવા માટે છોડી દીધા હતા. હવે મનોજભાઇ અને સેવંતીબેન તેમના કરેલા કર્મને સુધારવા માંગતા હતા.