અતીતરાગ - 13

  • 2.1k
  • 2
  • 804

અતીતરાગ-૧૩અતીતરાગની તેરમી કડીની વિતકકથામાં સુખદ નહીં પણ દુઃખદ સંભારણા વિષે ચર્ચા કરીશું. કંઇક અંશે વ્યથિત કરી મુકે એવી વીતકકથા. હિન્દી ફિલ્મ જગતના એ તારલાં જે એવાં કસમયે ખરી ગયાં જે સમયે તેમના અભિનયનું તેજ સૌને ચકાચોંધ કરી રહ્યું હતું. આજે દાયકાઓ બાદ પણ તેમના નામ સ્મરણ માત્રથી તેમના વિરલ વ્યક્તિવની ઝાંખી નજર સમક્ષ ઉપસી આવે.સીને જગતમાં આજે પણ ધ્રુવ તારા માફક ચળકતાં એ સિતારાના ચિતારની ઝલક પર એક નજર કરીએ.અકાળે આપણી વચ્ચેથી અલવિદા થઇ ચૂકેલાં એ સિતારામાંથી સૌથી પહેલું નામ છે..વસંતકુમાર શિવશંકર પાદુકોણ, આપણે સૌ જેમને ગુરુદત્તના નામથી ઓળખીએ છીએ.ગુરુદત્ત એકટર, ડીરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર ઉપરાંત અનેક લોકો માટે રહસ્યમય